શહિદ - એ - આઝમ ને સંસ્થા દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
(23-3-2022) નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ના તલ્લી ગામે શહિદ દિવસ નિમિત્તે શહિદે-એ-આઝમ ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરૂ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મા ગામના સરપંચ શ્રી જીવનભાઇ નાજાભાઈ વાંશિયા ઉપસરપંચ શ્રી રાજુભાઈ બારૈયા શાળા ના આચાર્ય શ્રી સર્વ માનવ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંસ્થાપક શ્રી ડો લાલજીભાઈ એમ વાંશિયા કાળુભાઈ શિયાળ ગામના વેપારી શ્રી નારણભાઈ વાંશિયા ગામના યુવાનો વડીલો શાળા ના બાળકો અને સંસ્થાના સભ્યો ઉપસ્થિતિમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.