પગપાળા જતા પદયાત્રીઓ ની સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર લગાવવા સેવા કેમ્પ નું આયોજન કરાયું
15-11-2023 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા હર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભાઈબીજ ના દિવસે(નારી ચોકડી મુકામે) ભાવનગર થી પગપાળા ચોટીલા જતા પદયાત્રીઓ સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર લગાવવાનું સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું (જેથી રાત્રિ દરમિયાન રસ્તા પર તથા અકસ્માત અમુક અંશે રોકી શકાય) આ સેવા કેમ્પ માં સંસ્થાના પ્રમુખ શશીભાઇ સરવૈયા તેમજ ટ્રસ્ટી અશ્વિનભાઈ વરિયા અને યુવા કાર્યકર કલ્પેશભાઈ ડાંગર અને હરેશભાઈ ગોહિલ સહિતના કાર્યકરો એ સેવા આપી હતી