Posts

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

Image
       નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા 14-સપ્ટેમ્બર 2025 ના રોજ સંસ્થાના નવમી વર્ષ ગાંઠ નિમિતે સંસ્થા દ્વારા ( લેપ્રસી હોસ્પિટલ- ભાવનગર )ખાતે રક્તપિત્ત થી પીડાતા દર્દીઓને સૂકા નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી        આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેર થતા કિરણભાઈ ચૌહાણ અને મિલનભાઈ મકવાણા તેમજ રાહુલભાઈ કટુડીયા સહીતના કાર્યકરો જોડાયા હતા.        સંસ્થાના સહયોગી તમામ સભ્યો, તમામ હોદ્દેદારો, તમામ શુંભ ચિંતકો તેમજ તમામ દાતાશ્રીઓનો સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને તન, મન ધન થી સહયોગ આપવા બદલ હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન સિહોર તાલુકા દ્વારા સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Image
                          ૨૫- ૫- ૨૦૨૫            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ગામ ખાતે રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના સિહોર તાલુકા પ્રમુખ અશ્વિનભાઇ જાદવ અને યુવા કાર્યક્રર અલ્પેશભાઈ મેર સહિતના કાર્યકરો એ સેવા આપી હતી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરાયું llસ્થળ નં :-2 કુંભારવાડા માઢિયા રોડ ll

Image
                           ૧૮- ૫- ૨૦૨૫             વિતરણ સ્થળ નં:- ૨ -  (કુંભારવાડા માઢિયા રોડ)                 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા  કુંભારવાડા માઢિયા રોડ,ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા મળી રહે તેવા હેતુથી સંસ્થા દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર  પરેશભાઈ મેર તથા અમરશીભાઈ રાઠોડ ,જયદેવભાઈ રાઠોડ તથા સુભાષભાઈ ચુડાસમા, હિંમતભાઈ મેણીયા સહિતના કાર્યકરો એ સેવા આપી હતી તે બદલ તમામ કાર્યકરોનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

Image
                           ૧૮- ૫- ૨૦૨૫          વિતરણ સ્થળ - નં ૧ - (સંસ્થા ના કાર્યાલય)            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા આજ રોજ કુંભારવાડા ,ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા મળી રહે તેવા હેતુથી સંસ્થા દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર રોહિતભાઈ કણબી તથા સંજયભાઈ રાઠોડ, ૠષિભાઈ સરવૈયા અને નિલેશભાઈ ચૌહાણ, અલ્પેશભાઈ ખૈર જયેન્દ્રસિંહ જાડેજા , ભાવિકભાઈ ખીમસુરીયા, બચુભાઈ ભડિયાદ્રા, રાહુલભાઈ તેમજ મિલનભાઇ મકવાણા અને રાહુલ કટુડીયા તેમજ નિલેશભાઈ રાઠોડ સહિતના કાર્યકરોએ સેવા આપી હતી તે બદલ તમામ કાર્યકરોનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે ...

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા પહેલગામ માં આતંકી હુમલામાં ( જમ્મુ કાશ્મીર)માં નિર્દોષ ભારતીય મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ ભાવનગર ના શહીદ સ્મારક ખાતે પહેલગામ (જમ્મુ -કાશ્મીર) માં આતંકી હુમલામાં નિર્દોષ ભારતીયો મૃત્યુ પામ્યા હતા તેમણે સંસ્થા દ્વારા મીણબત્તી પ્રગટાવી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમ માં નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના કાર્યાલય સંચાલક રોહિતભાઈ કણબી, પરેશભાઈ મેર, બચુભાઈ ભડિયાદ્રા તથા અલ્પેશભાઈ ખૈર સહિતના કાર્યકરો જોડાણા હતા