Posts

મહુવા તાલુકાના ગ્રામ્ય પ્રમુખ ની નિમણુંક કરવામાં આવી

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા મહુવા તાલુકાના સક્રિય કાર્યકર તેમજ (RTI)એક્ટીવિષ્ટ અને સામાજિક કાર્યકર શ્રી રમેશભાઈ જીજુવાડીયા ની મુલાકાત કરી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ             નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના મહુવા તાલુકાના "ગ્રામ્ય પ્રમુખ" તરીકે શ્રી રમેશભાઇ જિંજીવાડિયા "*ને નિમણુંક કરવામાં આવી હતી

તળાજા તાલુકાના ઉપ પ્રમુખ ની નિમણુંક કરવામાં આવી

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના અધ્યક્ષ શશિભાઈ સરવૈયા દ્વારા તળાજા તાલુકા તલ્લી ગામ ખાતે યુવા કાર્યકર શ્રી રામકૃષ્ણ વાંશિયા ની મુલાકાત કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી તેમજ            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન તળાજા તાલુકાના ગ્રામ્ય ઉપપ્રમુખ તરીકે શ્રી રામકૃષ્ણ વાંશિયા ને નિમણુંક કરવામાં આવી હતી.

(તળાજા તાલુકા તલ્લી ગામ ખાતે) મિશન સ્વચ્છતા અભિયાન અંતર્ગત બાળકો દ્વારા સ્વચ્છતા રેલી નું આયોજન

Image

જાત્રાળુ ઓ માટે પ્રસાદી સ્ટોલ

Image
                            6-11-2021                 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા  ભાઈબીજ ના શુભ પર્વ નિમિત્તે હર વર્ષ ની જેમ આ વર્ષે પણ કુંભારવાડા થી પગપાળા ચોટીલા  જતા જાત્રાળુઓ તેમજ સંઘ માં જતા દરેક જાત્રાળુઓ માટે સંસ્થા દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવ્યું હતું.

નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ.

Image
                          08-11-2021 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા આયોજીત અને વાય. ફોર ડી. ફાઉન્ડેશન તથા આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને એસ. પી. સેવા સંસ્થાન ના સહયોગ થી તા:-8-11-21 ના રોજ કુંભારવાડા ખાતે નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  પ્રાથમિક આરોગ્ય તપાસ, નિષ્ણાત તબીબી દ્વારા માર્ગદર્શન, નિઃશુલ્ક પ્રાથમિક દવાઓ, નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ આ કેમ્પમા ડો. કેતન રાવલ તથા  ડૉ. ચેતન કુડેચા એ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમ માં સંસ્થાના અધ્યક્ષ શશિભાઈ સરવૈયા તથા મંત્રી ગણેશભાઈ પરમાર ટ્રસ્ટી અશ્વિનભાઈ વરિયા પ્રદીપભાઈ, અને મૂકેશભાઈ સરવૈયા, પ્રકાશભાઈ અશ્વિન જાદવ સહિત ના કાર્યકરોએ સેવા આપી હતી

ભાવનગર થી ચોટીલા પગપાળા જતા જાત્રાળુઓની" સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર

Image
            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન. ભાવનગર દ્વારા હર વર્ષ ની જેમ આ વર્ષે પણ  તા:- 6-11-21 ને ભાઇબીજ ના દિવસે બપોરે 3 :00 કલાક થી..... ભાવનગર થી ચોટીલા પગપાળા જતા જાત્રાળુઓની" સુરક્ષા માટે વિનામૂલ્યે રેડિયમ સ્ટીકર" લગાવવા નું કાર્ય સંસ્થા દ્વારા કરવામાં આવશે. (જેથી રાત્રિ દરમિયાન રસ્તા પર થતા અકસ્માત અમુક અંશે રોકી શકાય).

પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે તો સંસ્થા વર્ષ ગાઢની ઉજવણીના ભાગરૂપે (લેપ્રસી હોસ્પિટલ) માં રક્તપિત્ત થી પીડાતા દર્દીઓ ને સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Image
 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન તા:- 15-9-21 ના રોજ  સંસ્થા ની સફળ સેવાકીય પ્રવૃત્તિઓના પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહી છે તો સંસ્થા વર્ષ ગાઢની ઉજવણીના ભાગરૂપે (લેપ્રસી હોસ્પિટલ) માં રક્તપિત્ત થી પીડાતા દર્દીઓ ને સૂકા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો દ્વારા દર્દીઓને નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી