Posts

Featured post

पुलवामा के शहीद जवानों को विनम्र श्रद्धांजलि

Image
                           14-02-2022 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા સંસ્થા ના કાર્યાલય ખાતે  14 ફેબ્રુઆરી  - 2019 ના રોજ પુલવામા (જમ્મુ - કાશ્મીર)  હુમલા માં CRPF ના શહિદ થયેલા જવાનો ને સંસ્થા ના સભ્યો દ્વારા શ્રદ્ધાંજલિ  અર્પણ કરવામાં આવી હતી.

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા જાત્રાળુઓની સુરક્ષા અને સલામતી માટે રેડિયમ સ્ટીકર સેવા કેમ્પ

Image
નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન (ભાવનગર) દ્વારા સતત આંઠમાં વર્ષે ભાવનગર નારી ચોકડી મુકામે ભાવનગર થી પગપાળા ચોટીલા જતા તમામ જાત્રાળુઓની સલામતી અને સુરક્ષા માટે વિનામુલ્યે રેડિયમ સ્ટીકર લગાવવાના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેડિયમ સ્ટીકર લગાવવાથી રાત્રિ દરમિયાન રસ્તા પર થતા અકસ્માત અમૂક અંશે ટાળી શકાય તેમ છે આ કેમ્પ દરમિયાન ભાવનગરના મેયરશ્રી ભરતભાઈ બારડ પણ પગપાળા જઈ રહ્યા હતા તેમને પણ રેડિયમ સ્ટીકર લગાવ્યા હતા.આ સંસ્થાના સેવા કેમ્પના સંચાલક રોહિતભાઈ કણબી, કલ્પેશભાઈ ડાંગર, અરુણભાઈ સોલંકી , બીપીનભાઇ સહિતના કાર્યકારોએ સેવા આપી હતી .

જન્મ દિવસની શુભકામનાઓ (સમર્થ યોગેશભાઈ કણબી)

Image
    નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને કાર્યાલય સંચાલક રોહિતભાઈ કણબીના ભત્રીજા સમર્થ યોગેશભાઈ કણબી (Samarth Kanbi) ના જન્મ દિવસ નિમિત્તે સંસ્થાને સેવાકિય પ્રવ્રુતિઓમાં ભેટ સ્વરૂપે (111 રૂપિયા) અનુદાન આપવા બદલ સંસ્થાના તમામ સભ્યો તરફથી જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ...

જન્મ દિવસની શુભકામનાઓ (આરોહી શશીભાઈ સરવૈયા)

Image
🍫 Happy Birthday Arohi 🍫          નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ના અધ્યક્ષ શશીભાઈ સરવૈયાની લાડકી દીકરી અને સંસ્થા ના મહામંત્રી ઋષિભાઈ સરવૈયા તોફાની ભત્રીજી આરોહી સરવૈયા (AROHI SARVAIYA) જન્મ દિવસ નિમિત્તે સંસ્થાને સેવાકિય પ્રવ્રુતિઓમાં ભેટ સ્વરૂપે (111 રૂપિયા) અનુદાન આપવા બદલ સંસ્થાના તમામ સભ્યો તરફથી જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ...

સંસ્થાની નવમી વર્ષગાંઠ નિમિત્તે (લેપ્રસી હોસ્પિટલ) દર્દીઓને સૂકા નાસ્તાનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી

Image
       નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા તા 14-સપ્ટેમ્બર 2025 ના રોજ સંસ્થાના નવમી વર્ષ ગાંઠ નિમિતે સંસ્થા દ્વારા ( લેપ્રસી હોસ્પિટલ- ભાવનગર )ખાતે રક્તપિત્ત થી પીડાતા દર્દીઓને સૂકા નાસ્તા નું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી        આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર પરેશભાઈ મેર થતા કિરણભાઈ ચૌહાણ અને મિલનભાઈ મકવાણા તેમજ રાહુલભાઈ કટુડીયા સહીતના કાર્યકરો જોડાયા હતા.        સંસ્થાના સહયોગી તમામ સભ્યો, તમામ હોદ્દેદારો, તમામ શુંભ ચિંતકો તેમજ તમામ દાતાશ્રીઓનો સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને તન, મન ધન થી સહયોગ આપવા બદલ હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરે છે

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન સિહોર તાલુકા દ્વારા સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

Image
                          ૨૫- ૫- ૨૦૨૫            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સિહોર તાલુકા દ્વારા ગુંદાળા ગામ ખાતે રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં સ્થાનિક લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા સંસ્થાના સિહોર તાલુકા પ્રમુખ અશ્વિનભાઇ જાદવ અને યુવા કાર્યક્રર અલ્પેશભાઈ મેર સહિતના કાર્યકરો એ સેવા આપી હતી

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરાયું llસ્થળ નં :-2 કુંભારવાડા માઢિયા રોડ ll

Image
                           ૧૮- ૫- ૨૦૨૫             વિતરણ સ્થળ નં:- ૨ -  (કુંભારવાડા માઢિયા રોડ)                 નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા  કુંભારવાડા માઢિયા રોડ,ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા મળી રહે તેવા હેતુથી સંસ્થા દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર  પરેશભાઈ મેર તથા અમરશીભાઈ રાઠોડ ,જયદેવભાઈ રાઠોડ તથા સુભાષભાઈ ચુડાસમા, હિંમતભાઈ મેણીયા સહિતના કાર્યકરો એ સેવા આપી હતી તે બદલ તમામ કાર્યકરોનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે

નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા કાર્યાલય ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું

Image
                           ૧૮- ૫- ૨૦૨૫          વિતરણ સ્થળ - નં ૧ - (સંસ્થા ના કાર્યાલય)            નવ યુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા આજ રોજ કુંભારવાડા ,ખાતે સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા મળી રહે તેવા હેતુથી સંસ્થા દ્વારા રાહતદરે ચોપડા વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સંસ્થાના કાર્યકર રોહિતભાઈ કણબી તથા સંજયભાઈ રાઠોડ, ૠષિભાઈ સરવૈયા અને નિલેશભાઈ ચૌહાણ, અલ્પેશભાઈ ખૈર જયેન્દ્રસિંહ જાડેજા , ભાવિકભાઈ ખીમસુરીયા, બચુભાઈ ભડિયાદ્રા, રાહુલભાઈ તેમજ મિલનભાઇ મકવાણા અને રાહુલ કટુડીયા તેમજ નિલેશભાઈ રાઠોડ સહિતના કાર્યકરોએ સેવા આપી હતી તે બદલ તમામ કાર્યકરોનો સંસ્થા આભાર વ્યક્ત કરે છે ...